સ્વરૃપપ્રાપ્તિ માટેના આધ્યાત્મિક પ્રયોગો
- સ્વરૃપ-ચિંતનની બાબતમાં માત્ર ચિત્તનો વિચાર એ પૂરતો નથી. એ વિચારનું જીવનની પ્રયોગશાળામાં આચરણ થવું જોઈએ
આધ્યાત્મિકતાનું પહેલું પગથિયું છે સ્વરૃપ-ચિંતન. આ સ્વરૃપ-ચિંતન વિશે ધર્મગ્રંથોમાં ઘણી ચર્ચા છે. મહાત્માઓ, સંતો, વિચારકો અને જ્ઞાાનીઓએ આ વિશે ઘણી છણાવટ કરી છે. સાધના માર્ગના યાત્રીનો આ પહેલો મુકામ છે.
આજ સુધી આધ્યાત્મિકતાને આપણે વ્યાખ્યાનો, ઉપદેશો, પ્રવચનો અને ગ્રંથો દ્વારા પામવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ક્યારેક વાસ્તવિક જીવનમાં આધ્યાત્મિકતાનો પ્રયોગ કેવી રીતે કરવો, તે વિશે વિચાર કર્યો નથી. સામાન્ય માન્યતા એવી છે કે આધ્યાત્મિકતાનો વિચાર હોય, એનું ચિંતન હોય, પણ એનો પ્રયોગ હોઈ શકે નહીં, જ્યારે આપણે પ્રયોગો દ્વારા એ પરિસ્થિતિને સિદ્ધ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
સ્વરૃપ-ચિંતન પામવા માટેનો પ્રયોગ કયો? સ્વરૃપ-ચિંતન માટેના અનેક માર્ગો આપણને મળે છે. જ્ઞાાનમાર્ગ, કર્મમાર્ગ અને યોગમાર્ગ તો સહુને વિદિત છે, પરંતુ એ સિવાય દરેક મહાત્માઓ અને ચિંતકોએ સ્વરૃપ-ચિંતનની વાત કરી છે. આપણે સ્વરૃપ-ચિંતનનો માત્ર વિચાર જ કર્યા કરીએ, તો એ આપણા 'ચિત્તનો ફક્ત વિચાર' બનીને રહી જાય છે. એક દ્રષ્ટિએ વિચારીએ તો એ આપણા ચિત્તમાં સર્જાતી ઘટના છે. સ્વરૃપ- ચિંતનની બાબતમાં માત્ર ચિત્તનો વિચાર એ પૂરતો નથી. એ વિચારનું જીવનની પ્રયોગશાળામાં આચરણ થવું જોઈએ. વિચારનું આચરણ ન થાય, તો ઘણીવાર એ વિચાર જે ચિત્તમાં જન્મ્યો હોય છે, ત્યાં જ મૃત્યુ પામે છે.
ક્યાંક કોઈ ક્રિયાકાંડથી સ્વરૃપ-ચિંતન કરવાનો પ્રયાસ કરે છે. ગાયત્રી મંત્ર હોય કે પછી શ્રી ભક્તામર સ્તોત્ર હોય, ત્રિસંધ્યા હોય કે પછી પ્રતિક્રમણ હોય, એ ક્રિયાઓ દ્વારા સ્વરૃપ-પ્રાપ્તિનો પ્રયાસ થાય છે, પરંતુ ઘણીવાર આ બધી ક્રિયાઓ એ ક્રિયારૃપે જન્મે છે અને ક્રિયા રૃપે આથમે છે. ક્રિયામાં જ અટકી જાય છે. એ ક્રિયાની પાછળના ભાવો આપણું મન જાણે છે, પરંતુ એ મનના ભાવોનું અંતઃકરણની વૃત્તિમાં રૃપાંતર થતું નથી.
એ જ રીતે સ્વરૃપપ્રાપ્તિ વિશે ગીતો, સ્તવનો, પદો - એ સઘળું મળે છે. એના ગાન દ્વારા વ્યક્તિનું ચિત્ત સ્વરૃપ-ચિંતન પ્રતિ પ્રેરાય છે અને ઘણીવાર એ પદ, સ્તવન કે એ ગીત કંઠના ગાન સુધી રહી જાય છે. એના ભાવો વ્યક્તિના આત્મામાં રેડાતા નથી.
આને પરિણામે એ પદ કે સ્તવન કંઠમાધુર્યનું ઘરેણું બની રહે છે. મનમાં સતત ગુંજતી પંક્તિઓ રૃપે વસે છે, પરંતુ એનો સ્વરૃપ-પરિવર્તનમાં કોઈ ઉપયોગ થતો નથી. આથી પહેલો વિચાર એ કરવાનો છે કે જેમ શરીરની ચિકિત્સા હોય છે, એવી જ આત્માની ચિકિત્સા હોય છે. શરીરના ખબરઅંતર પૂછીએ છીએ, એ જ રીતે આત્માના ખબર-અંતર પૂછવા જોઈએ. શરીરમાં રોગનાં ચિહ્નો દેખાય છે. કદાચ સ્પષ્ટ દેખાતા ન હોય, તો એની શારીરિક તપાસ કે કુશળ ડૉક્ટરોના પ્રયત્નોથી રોગના મૂળને જાણી શકાય છે. એ જ રીતે શરીરમાં થતાં સુખ કે દુઃખનો આપણે પ્રત્યક્ષ અને તત્કાળ અનુભવ પામી શકીએ છીએ. શરીરના ગમા અને અણગમાની જાણ આપણા મનને એ જ ક્ષણે થતી હોય છે અને જીહ્વા એને અભિવ્યક્ત કરતી હોય છે.
આત્માનું ઍનાલિસિસ તો ધૈર્ય, ચિંતન, અભ્યાસ અને અંતર્મુખતા માગે છે. શરીરને ઓળખવા કોઈ પ્રયાસ કરવો પડતો નથી. એ તો વ્યક્તિ ગર્ભ ધારણ કરે છે, ત્યારથી એની સાથે હોય છે. જ્યારે આત્માને ઓળખવા માટે વ્યક્તિએ ભગીરથ પ્રયાસ અને પુરુષાર્થ ખેડવો જોઈએ. એક અર્થમાં કહીએ તો એને ઓળખવો એ વ્યક્તિને માટે મોટો પડકાર હોય છે. ઋગ્વેદના એ મંત્રનું સ્મરણ થાય છે, જેમાં કહ્યું છે,
'એ સૌથી ઉત્તમ, બધાં સુખોને ગ્રહણ કરનારો અને આપનારો છે. એનું દર્શન કરો. મરણશીલ શરીરોમાં એ અમૃતજ્યોતિ છે.'
આ રીતે ઋગ્વેદકાળથી આત્માને સૌથી ઉત્તમ કહ્યો છે. વળી એને સર્વ સુખો અનુભવનારો અને આપનારો કહ્યો છે અને એથી 'ઋગ્વેદ'ના ઋષિ કહે છે કે આત્માના દર્શન માટે પુરુષાર્થ દાખવો, પણ સાથોસાથ એમ પણ કહે છે કે આત્મા વ્યક્તિના મરણશીલ શરીરમાં વસે છે. એવા મરણશીલ શરીરમાં કોઈ અમૃતજ્યોતિ હોય તો તે આત્મા છે. આવો આત્મા ન જન્મે છે, ન હણાય છે. એ તો અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન છે.
આવા આત્માનો વિશાળ મહિમા સરસ કલ્પના દ્વારા 'કઠોપનિષદ્' (૧-૩-૩ અને ૪)માં કરવામાં આવ્યો છે. એમાં કહ્યું કે આત્માને સારથિ માન અને શરીરને રથ માન. બુદ્ધિને સારથિ માન અને મનને લગામ સમજ, મનિષીઓ ઈન્દ્રિયોને અશ્વો જેવી બતાવે છે અને વિષયને એ અશ્વના વિચરણનો માર્ગ કહે છે. શરીર, ઈંદ્રિય અને મનથી યુક્ત જીવાત્મા જ ભોક્તા છે એમ કહેવાય છે.
આત્માના મહિમા વિશે ભારતીય સંસ્કૃતિના ગ્રંથોમાં ઊંડી ચર્ચા કરવામાં આવી છે. એ આત્મામાં જનાર વ્યક્તિ સૌ પ્રથમ તો શરીરથી આત્માના ભેદને જુએ છે અને પછી એ સ્વરૃપ-ચિંતનમાં ડુબકી લગાવે છે. આ સ્વરૃપ-ચિંતનની વાત ભારતના સંતો, મહાત્માઓ અને વિચારકોએ કરેલી છે. પૂ. શ્રી મોટા હોય, તુકારામ કે એકનાથ જેવી પ્રસિદ્ધ વ્યક્તિ હોય કે પછી જે. કૃષ્ણમૂર્તિ જેવા ચિંતક હોય, એ સહુએ આનો વિચાર કર્યો છે.
પણ આજે આપણે સ્વરૃપ-ચિંતનની પ્રાપ્તિ માટેની પ્રયોગશાળામાં બેઠા છીએ અને આપણામાં એ સ્વરૃપ-ચિંતન કઈ રીતે થઈ શકે એના પ્રયોગો કરવા છે. આ એક આગવી, વિશિષ્ટ અને પ્રયોગલક્ષી વાત છે, માટે આનું વાચકો અને સાધકોએ સવિશેષ ચિંતન કરવું જરૃરી બને છે.
સૌપ્રથમ તો વહેલી સવારે ઊઠતાં સાધકે કઈ રીતે જાગૃત થવું જોઈએ? નિદ્રા અને જાગૃતિના સંધિકાળ વિશે કોઈએ કશું વિચાર્યું નથી. આ સંધિકાળમાં સાધકના ભાવોમાં આવતા પલટાઓ વિશે થોડું ચિંતન કરીએ. એ પલંગ પરથી જાગૃત થાય અને ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીને પથારીમાં બેસી જાય, પછી એણે નિદ્રાથી જાગૃતિ વચ્ચેના તબક્કાઓનો વિચાર કરવો જોઈએ. ઘણી વ્યક્તિઓ સવારે જાગૃત થયા પછી તંદ્રાવસ્થામાં સૂઈ રહેતી હોય છે. આ તંદ્રાવસ્થામાં એની ચિંતાઓ એના મનમાં ઉપસવા લાગે છે. આ તંદ્રાવસ્થામાં વિચારોનો અસંબદ્ધ કે સંબદ્ધ રઘવાટ જોવા મળે છે અને આ અર્ધજાગૃત અવસ્થામાં વ્યક્તિ ઘણીવાર કોઈની સાથે જામેલા વેરઝેર વિશે વિચારતી હોય છે, તો ઘણીવાર પોતાના મન પર લદાયેલી ચિંતા વિશે ચિંતિત થતી હોય છે. આવી વ્યક્તિ એની અર્ધજાગૃત અવસ્થામાંથી જાગ્રત બનશે ત્યારે એના મન પર કેટલીય સુસ્તી હશે કે ગમગીની હશે. વિચારશે કે ઉઠતાંની સાથે અણગમતા વિચારો સાથે એનો પનારો પડયો. આ તબક્કે તંદ્રાવસ્થામાંથી જાગૃત અવસ્થામાં થયેલું એનું રૃપાંતર એના એ દિવસને અને એ રીતે એના જીવનને ઉદાસીનતામાં ગરકાવ કરી દે છે.
કેટલીક વ્યક્તિઓ જાગતાની સાથે જ પથારીમાં બેઠા થઈને પ્રભુસ્મરણ કરવા લાગે છે. જેમ ઘણાં સ્થળે સવારે ઊઠતાની સાથે જ વ્યક્તિ મંદિર કે દેરાસરે દર્શન કરવા માટે દોડી જતી હોય છે. આ એકાએક થતી ક્રિયા સ્વરૃપ-ચિંતનમાં સહયોગી બનતી નથી અને સમય જતાં એ ક્રિયા એક માત્ર રૃઢિ બની જાય છે અને પછી એ રોજની આદત પણ બની જાય છે. ધીરે ધીરે એમાંથી ઈશ્વરભક્તિના ભાવો પણ ખસવા માંડે છે અને પછી તો એવું પણ થાય છે કે એ મંદિર કે દેરાસર એ નિશ્ચિત સમયે પ્રેમીઓને કે મિત્રોને મળવાનું સ્થાન બની જાય છે!
આથી આગ્રહપૂર્વક કહેવું છે કે પ્રભાતે તમે પલંગમાંથી કઈ રીતે ઊઠો છો? એ બાબત જીવનમાં ઘણી મહત્ત્વની બાબત છે. આ વિષયમાં આપણે ક્યારેય વિચાર કરતા નથી. ખુદ સાધકો પણ એ અંગે વિશેષ જાણતા નથી. હકીકત એ છે કે સવારે જાગૃત થવાની તમારી એ પ્રક્રિયાનું તમે પરિવર્તન કરી શકો અને સવારે સહેજે તોછડાઈથી એવું વિચારવું નહીં કે મેં નિદ્રાનો 'ત્યાગ' કર્યો છે. તમારી નિદ્રાને તમારે ક્યારેય અવગણના કે ઉપેક્ષાના ભાવથી જોવી નહીં. આનું કારણ એ છે કે જેમ યુદ્ધનું શાંતિમાં પરિવર્તન થાય, એવું જ મોટું પરિવર્તન નિદ્રામાંથી જાગૃતિમાં થતું હોય છે.
સાધક નિદ્રા વિશે શું વિચારશે? એ વિચારશે કે એની નિદ્રાધીન અવસ્થા કેવી સરસ હતી! એ અવસ્થામાં કોઈ સુખ નહોતું કે કોઈ દુઃખ નહોતું. એ અવસ્થામાં કોઈ મારું નહોતું કે કશું પારકું નહોતું. એમાં કોઈ સ્વાર્થની બાજી ખેલાતી નહોતી કે પછી વિષયોની હુતુતુની રમત રમાતી નહોતી. નિદ્રા સમયે કોઈના પર સહેજે ગુસ્સો નહોતો અને કોઈનીય પ્રત્યે લેશમાત્ર અનુરાગ નહોતો. વાહ, કેવી સરસ અવસ્થા હતી મારી નિદ્રાની ! મનને કેવી પરમ શાંતિ હતી ! હવે જાગૃત અવસ્થામાં પણ આવી રીતે જીવવા માટે પ્રયત્ન કરીશ. આ રીતે સાધક સવારે જાગૃત થતાની સાથોસાથ એના સ્વરૃપ-ચિંતનના પ્રથમ પ્રયોગોનો પ્રારંભ કરશે અને એના વધુ આગળના પ્રયોગોની વાત હવે પછી.
આજ સુધી આધ્યાત્મિકતાને આપણે વ્યાખ્યાનો, ઉપદેશો, પ્રવચનો અને ગ્રંથો દ્વારા પામવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ક્યારેક વાસ્તવિક જીવનમાં આધ્યાત્મિકતાનો પ્રયોગ કેવી રીતે કરવો, તે વિશે વિચાર કર્યો નથી. સામાન્ય માન્યતા એવી છે કે આધ્યાત્મિકતાનો વિચાર હોય, એનું ચિંતન હોય, પણ એનો પ્રયોગ હોઈ શકે નહીં, જ્યારે આપણે પ્રયોગો દ્વારા એ પરિસ્થિતિને સિદ્ધ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
સ્વરૃપ-ચિંતન પામવા માટેનો પ્રયોગ કયો? સ્વરૃપ-ચિંતન માટેના અનેક માર્ગો આપણને મળે છે. જ્ઞાાનમાર્ગ, કર્મમાર્ગ અને યોગમાર્ગ તો સહુને વિદિત છે, પરંતુ એ સિવાય દરેક મહાત્માઓ અને ચિંતકોએ સ્વરૃપ-ચિંતનની વાત કરી છે. આપણે સ્વરૃપ-ચિંતનનો માત્ર વિચાર જ કર્યા કરીએ, તો એ આપણા 'ચિત્તનો ફક્ત વિચાર' બનીને રહી જાય છે. એક દ્રષ્ટિએ વિચારીએ તો એ આપણા ચિત્તમાં સર્જાતી ઘટના છે. સ્વરૃપ- ચિંતનની બાબતમાં માત્ર ચિત્તનો વિચાર એ પૂરતો નથી. એ વિચારનું જીવનની પ્રયોગશાળામાં આચરણ થવું જોઈએ. વિચારનું આચરણ ન થાય, તો ઘણીવાર એ વિચાર જે ચિત્તમાં જન્મ્યો હોય છે, ત્યાં જ મૃત્યુ પામે છે.
ક્યાંક કોઈ ક્રિયાકાંડથી સ્વરૃપ-ચિંતન કરવાનો પ્રયાસ કરે છે. ગાયત્રી મંત્ર હોય કે પછી શ્રી ભક્તામર સ્તોત્ર હોય, ત્રિસંધ્યા હોય કે પછી પ્રતિક્રમણ હોય, એ ક્રિયાઓ દ્વારા સ્વરૃપ-પ્રાપ્તિનો પ્રયાસ થાય છે, પરંતુ ઘણીવાર આ બધી ક્રિયાઓ એ ક્રિયારૃપે જન્મે છે અને ક્રિયા રૃપે આથમે છે. ક્રિયામાં જ અટકી જાય છે. એ ક્રિયાની પાછળના ભાવો આપણું મન જાણે છે, પરંતુ એ મનના ભાવોનું અંતઃકરણની વૃત્તિમાં રૃપાંતર થતું નથી.
એ જ રીતે સ્વરૃપપ્રાપ્તિ વિશે ગીતો, સ્તવનો, પદો - એ સઘળું મળે છે. એના ગાન દ્વારા વ્યક્તિનું ચિત્ત સ્વરૃપ-ચિંતન પ્રતિ પ્રેરાય છે અને ઘણીવાર એ પદ, સ્તવન કે એ ગીત કંઠના ગાન સુધી રહી જાય છે. એના ભાવો વ્યક્તિના આત્મામાં રેડાતા નથી.
આને પરિણામે એ પદ કે સ્તવન કંઠમાધુર્યનું ઘરેણું બની રહે છે. મનમાં સતત ગુંજતી પંક્તિઓ રૃપે વસે છે, પરંતુ એનો સ્વરૃપ-પરિવર્તનમાં કોઈ ઉપયોગ થતો નથી. આથી પહેલો વિચાર એ કરવાનો છે કે જેમ શરીરની ચિકિત્સા હોય છે, એવી જ આત્માની ચિકિત્સા હોય છે. શરીરના ખબરઅંતર પૂછીએ છીએ, એ જ રીતે આત્માના ખબર-અંતર પૂછવા જોઈએ. શરીરમાં રોગનાં ચિહ્નો દેખાય છે. કદાચ સ્પષ્ટ દેખાતા ન હોય, તો એની શારીરિક તપાસ કે કુશળ ડૉક્ટરોના પ્રયત્નોથી રોગના મૂળને જાણી શકાય છે. એ જ રીતે શરીરમાં થતાં સુખ કે દુઃખનો આપણે પ્રત્યક્ષ અને તત્કાળ અનુભવ પામી શકીએ છીએ. શરીરના ગમા અને અણગમાની જાણ આપણા મનને એ જ ક્ષણે થતી હોય છે અને જીહ્વા એને અભિવ્યક્ત કરતી હોય છે.
આત્માનું ઍનાલિસિસ તો ધૈર્ય, ચિંતન, અભ્યાસ અને અંતર્મુખતા માગે છે. શરીરને ઓળખવા કોઈ પ્રયાસ કરવો પડતો નથી. એ તો વ્યક્તિ ગર્ભ ધારણ કરે છે, ત્યારથી એની સાથે હોય છે. જ્યારે આત્માને ઓળખવા માટે વ્યક્તિએ ભગીરથ પ્રયાસ અને પુરુષાર્થ ખેડવો જોઈએ. એક અર્થમાં કહીએ તો એને ઓળખવો એ વ્યક્તિને માટે મોટો પડકાર હોય છે. ઋગ્વેદના એ મંત્રનું સ્મરણ થાય છે, જેમાં કહ્યું છે,
'એ સૌથી ઉત્તમ, બધાં સુખોને ગ્રહણ કરનારો અને આપનારો છે. એનું દર્શન કરો. મરણશીલ શરીરોમાં એ અમૃતજ્યોતિ છે.'
આ રીતે ઋગ્વેદકાળથી આત્માને સૌથી ઉત્તમ કહ્યો છે. વળી એને સર્વ સુખો અનુભવનારો અને આપનારો કહ્યો છે અને એથી 'ઋગ્વેદ'ના ઋષિ કહે છે કે આત્માના દર્શન માટે પુરુષાર્થ દાખવો, પણ સાથોસાથ એમ પણ કહે છે કે આત્મા વ્યક્તિના મરણશીલ શરીરમાં વસે છે. એવા મરણશીલ શરીરમાં કોઈ અમૃતજ્યોતિ હોય તો તે આત્મા છે. આવો આત્મા ન જન્મે છે, ન હણાય છે. એ તો અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન છે.
આવા આત્માનો વિશાળ મહિમા સરસ કલ્પના દ્વારા 'કઠોપનિષદ્' (૧-૩-૩ અને ૪)માં કરવામાં આવ્યો છે. એમાં કહ્યું કે આત્માને સારથિ માન અને શરીરને રથ માન. બુદ્ધિને સારથિ માન અને મનને લગામ સમજ, મનિષીઓ ઈન્દ્રિયોને અશ્વો જેવી બતાવે છે અને વિષયને એ અશ્વના વિચરણનો માર્ગ કહે છે. શરીર, ઈંદ્રિય અને મનથી યુક્ત જીવાત્મા જ ભોક્તા છે એમ કહેવાય છે.
આત્માના મહિમા વિશે ભારતીય સંસ્કૃતિના ગ્રંથોમાં ઊંડી ચર્ચા કરવામાં આવી છે. એ આત્મામાં જનાર વ્યક્તિ સૌ પ્રથમ તો શરીરથી આત્માના ભેદને જુએ છે અને પછી એ સ્વરૃપ-ચિંતનમાં ડુબકી લગાવે છે. આ સ્વરૃપ-ચિંતનની વાત ભારતના સંતો, મહાત્માઓ અને વિચારકોએ કરેલી છે. પૂ. શ્રી મોટા હોય, તુકારામ કે એકનાથ જેવી પ્રસિદ્ધ વ્યક્તિ હોય કે પછી જે. કૃષ્ણમૂર્તિ જેવા ચિંતક હોય, એ સહુએ આનો વિચાર કર્યો છે.
પણ આજે આપણે સ્વરૃપ-ચિંતનની પ્રાપ્તિ માટેની પ્રયોગશાળામાં બેઠા છીએ અને આપણામાં એ સ્વરૃપ-ચિંતન કઈ રીતે થઈ શકે એના પ્રયોગો કરવા છે. આ એક આગવી, વિશિષ્ટ અને પ્રયોગલક્ષી વાત છે, માટે આનું વાચકો અને સાધકોએ સવિશેષ ચિંતન કરવું જરૃરી બને છે.
સૌપ્રથમ તો વહેલી સવારે ઊઠતાં સાધકે કઈ રીતે જાગૃત થવું જોઈએ? નિદ્રા અને જાગૃતિના સંધિકાળ વિશે કોઈએ કશું વિચાર્યું નથી. આ સંધિકાળમાં સાધકના ભાવોમાં આવતા પલટાઓ વિશે થોડું ચિંતન કરીએ. એ પલંગ પરથી જાગૃત થાય અને ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીને પથારીમાં બેસી જાય, પછી એણે નિદ્રાથી જાગૃતિ વચ્ચેના તબક્કાઓનો વિચાર કરવો જોઈએ. ઘણી વ્યક્તિઓ સવારે જાગૃત થયા પછી તંદ્રાવસ્થામાં સૂઈ રહેતી હોય છે. આ તંદ્રાવસ્થામાં એની ચિંતાઓ એના મનમાં ઉપસવા લાગે છે. આ તંદ્રાવસ્થામાં વિચારોનો અસંબદ્ધ કે સંબદ્ધ રઘવાટ જોવા મળે છે અને આ અર્ધજાગૃત અવસ્થામાં વ્યક્તિ ઘણીવાર કોઈની સાથે જામેલા વેરઝેર વિશે વિચારતી હોય છે, તો ઘણીવાર પોતાના મન પર લદાયેલી ચિંતા વિશે ચિંતિત થતી હોય છે. આવી વ્યક્તિ એની અર્ધજાગૃત અવસ્થામાંથી જાગ્રત બનશે ત્યારે એના મન પર કેટલીય સુસ્તી હશે કે ગમગીની હશે. વિચારશે કે ઉઠતાંની સાથે અણગમતા વિચારો સાથે એનો પનારો પડયો. આ તબક્કે તંદ્રાવસ્થામાંથી જાગૃત અવસ્થામાં થયેલું એનું રૃપાંતર એના એ દિવસને અને એ રીતે એના જીવનને ઉદાસીનતામાં ગરકાવ કરી દે છે.
કેટલીક વ્યક્તિઓ જાગતાની સાથે જ પથારીમાં બેઠા થઈને પ્રભુસ્મરણ કરવા લાગે છે. જેમ ઘણાં સ્થળે સવારે ઊઠતાની સાથે જ વ્યક્તિ મંદિર કે દેરાસરે દર્શન કરવા માટે દોડી જતી હોય છે. આ એકાએક થતી ક્રિયા સ્વરૃપ-ચિંતનમાં સહયોગી બનતી નથી અને સમય જતાં એ ક્રિયા એક માત્ર રૃઢિ બની જાય છે અને પછી એ રોજની આદત પણ બની જાય છે. ધીરે ધીરે એમાંથી ઈશ્વરભક્તિના ભાવો પણ ખસવા માંડે છે અને પછી તો એવું પણ થાય છે કે એ મંદિર કે દેરાસર એ નિશ્ચિત સમયે પ્રેમીઓને કે મિત્રોને મળવાનું સ્થાન બની જાય છે!
આથી આગ્રહપૂર્વક કહેવું છે કે પ્રભાતે તમે પલંગમાંથી કઈ રીતે ઊઠો છો? એ બાબત જીવનમાં ઘણી મહત્ત્વની બાબત છે. આ વિષયમાં આપણે ક્યારેય વિચાર કરતા નથી. ખુદ સાધકો પણ એ અંગે વિશેષ જાણતા નથી. હકીકત એ છે કે સવારે જાગૃત થવાની તમારી એ પ્રક્રિયાનું તમે પરિવર્તન કરી શકો અને સવારે સહેજે તોછડાઈથી એવું વિચારવું નહીં કે મેં નિદ્રાનો 'ત્યાગ' કર્યો છે. તમારી નિદ્રાને તમારે ક્યારેય અવગણના કે ઉપેક્ષાના ભાવથી જોવી નહીં. આનું કારણ એ છે કે જેમ યુદ્ધનું શાંતિમાં પરિવર્તન થાય, એવું જ મોટું પરિવર્તન નિદ્રામાંથી જાગૃતિમાં થતું હોય છે.
સાધક નિદ્રા વિશે શું વિચારશે? એ વિચારશે કે એની નિદ્રાધીન અવસ્થા કેવી સરસ હતી! એ અવસ્થામાં કોઈ સુખ નહોતું કે કોઈ દુઃખ નહોતું. એ અવસ્થામાં કોઈ મારું નહોતું કે કશું પારકું નહોતું. એમાં કોઈ સ્વાર્થની બાજી ખેલાતી નહોતી કે પછી વિષયોની હુતુતુની રમત રમાતી નહોતી. નિદ્રા સમયે કોઈના પર સહેજે ગુસ્સો નહોતો અને કોઈનીય પ્રત્યે લેશમાત્ર અનુરાગ નહોતો. વાહ, કેવી સરસ અવસ્થા હતી મારી નિદ્રાની ! મનને કેવી પરમ શાંતિ હતી ! હવે જાગૃત અવસ્થામાં પણ આવી રીતે જીવવા માટે પ્રયત્ન કરીશ. આ રીતે સાધક સવારે જાગૃત થતાની સાથોસાથ એના સ્વરૃપ-ચિંતનના પ્રથમ પ્રયોગોનો પ્રારંભ કરશે અને એના વધુ આગળના પ્રયોગોની વાત હવે પછી.

0 comments: